Establishment Year : 1985
Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School
સરસ્વતી વિદ્યાલયમાં પંચામૃત કાર્યક્રમ
સમગ્ર ગુજરાતમાં ખ્યાતિપ્રાપ્ત શ્રી સરસ્વતી વિદ્યાલય સંકુલના પંચામૃત કાર્યક્રમની ઉજવણી દબદબાભેર કરવામાં આવી. શાળાના ધો.૧૦ માં વિદ્યાર્થીઓનો શુભેચ્છા, ધો.૧૨ નો શુભેચ્છા - વિદાય સમારંભ, તેજસ્વી તારલાઓનું સન્માન, બાળકોની કલાને પ્રદશિત કરતો વાર્ષિકોત્સવ અને શ્રીમતિ ઈલાબેન શાહ , રમીલાબેન રોત તથા પ્રિ.ડૉ.જિજ્ઞેશ સુથાર નો વયનિવૃતિ સન્માન કાર્યક્ર્મ ગોઠવાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ બે દિવસ સમૂહભોજનનો લાભ લીધો હતો.
શિક્ષણક્ષેત્રે ઉત્તમ સેવાઓ બદલ રાજ્યપારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રિ.ડૉ.જિજ્ઞેશ સુથાર ના નેતૃત્ત્વમાં શાળાએ પણ ત્રણવાર શ્રેષ્ઠ શાળા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. શાળાને અનેકવિધ સિધ્ધિઓ અપાવનાર કર્મનિષ્ઠ, બહુમુખી પ્રતિભા ધરાવનાર કેળવણીકાર ડૉ.જિજ્ઞેશ સુથાર નું ઉમા કેળવણી મંડળ અને શાળાપરિવાર ધ્વારા ભવ્ય સન્માન કરાયેલ હતું. આ તબક્કે સમાજના આગેવાનો, આચાર્યો, શિક્ષણવિદો ની ઉપસ્થિતિ નોંધનીય હતી. શાળાપરિવાર,ઉમા કેળવણી મંડળ તથા સૌ વિદ્યાર્થીઓએ ભારે હૈયે ડૉ.જિજ્ઞેશભાઈને વયનિવૃતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
Tags : ,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com